મોરબી:તા ૨૯ તકવાદી નેતાઓના પાપે મોરબી શહેરમાં જિલ્લા કક્ષાની સુવિધા નો મોટાભાગે અભાવ રહ્યો હોય તેઓ મોરબી શહેર જિલ્લા ની પ્રજા અહેસાસ કરી રહી છે ત્યારે મોરબી શહેરના બાગ બગીચા વિરાન હાલત જોવા મળી રહ્ય છે જેથી વાર તહેવારે ફરવા લાયક સ્થળોના અભાવ રહ્યો છે હાલ મોરબીમાં માત્ર એક ઓરેવા ગ્રુપ દ્વારા રીનોવેશન થયેલ ઝુલતાપુલ ની રોનક સૌરાષ્ટ્ર તરીકે ઓળખ આપી રહ્યું છે ત્યારે દિવાળી જેવા તહેવારોમાં સ્થાનિક તેમજ અન્ય જિલ્લામાંથી મોરબીની મુલાકાતે આવતા લોકોએ ઝુલતાપુલ માં ફરવાની મોજ લિધિહતી જેની બેસતા વર્ષેની શરૂઆત થતા માત્ર બે દિવસમાં 10,000 ની આવક થઈ છે બાકી તંત્રના પાપે આજની તારીખે મચ્છુ નદી નાલા માં વહેતા પાણીમાં લીલી વેલ નું વાવેતર થઈ જવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને મોટાભાગે બાગ બગીચા વિરાન હોય જેથી મોરબી શહેરમાં જિલ્લા કક્ષાની સુવિધા નો અભાવ અન્ય જિલ્લાની સરખામણીએ સૌરાષ્ટ્રનું પેરિસ મોરબી જાખુ પાડવામાં તંત્રની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા ના કારણે સ્થાનિક મોરબી ઉદ્યોગ નગરીમાં મંદી ના માહોલમાં તે જ રફતારમાં મોરબીનો વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ મહેસુસ કરી રહ્યા છે
