વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મોરબી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબી પુલ દુર્ઘટના બાબતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા તથા વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, ઉપરાંત મુખ્યસચિવશ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે.કૈલાસનાથન, રાજય પોલીસ વડાશ્રી આશિષ ભાટીયા, રેન્જ આઈજીશ્રી અશોક યાદવ, જિલ્લા પ્રભારીશ્રી મનીષાચંદ્રા સહિત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
