
શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ સોંડિયા ખાતે નવીન બોરવેલ બનાવવા કરાયું મૂહુર્ત
ડીસા-ભીલડી નેશનલ હાઈવે ઉપર નવનિર્માણ પામેલ શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ ખાતે ગૌમાતાઓને કાયમ માટે પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે સગવડતાપૂર્ણ પાણીના નવીન બોરવેલની તાત્કાલિક જરૂરિયાત હતી.ડીસા માલધારી સમાજના પ્રમુખ તેમજ અનેક સેવાભાવી સત્કાર્યોમાં જેમનો સતત સહકાર હોય છે તેવા વિસત ટયુબવેલવાળા શ્રી ગફુલભાઈ દેસાઈના માર્ગદર્શન અને સહકારથી ગૌઆશ્રમ ખાતે નવીન બોરવેલ બનાવવાનું મૂહુર્ત પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજના વરદહસ્તે હનુમાન ચાલીસાના પાઠ દ્રારા કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે સર્વ ગફુલભાઈ દેસાઈ,ભગવાનભાઈ બંધુ,સોતમલાના સરપંચ જીતુભાઈ બારોટ,જયંતિભાઈ ઠકકર,સંસ્થાના સમર્પિત ગૌસેવક આર.ડી.ઠકકર,બાબુભાઈ,નવીનભાઈ સહિત અનેક ગૌસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં 40 ગાયો ધરાવતી આ ગૌશાળામાં ગૌમાતાઓ માટે પાણી,રહેઠાણ,ઘાસચારો એમ વિવિધ સગવડો વધતાં ભવિષ્યમાં ગૌમાતાઓની સંખ્યામાં પણ વૃધ્ધિ થશે.

