
બિપરજોય વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક અસર થવાની સંભાવના રહેલી છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચના-માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ.
▪️ રેડીયો, ટીવી, સોશિયલ મીડિયા, છાપાંના માધ્યમથી અપાતી સૂચનાઓથી સતત માહિતગાર રહેશો.
▪️ સ્થળાંતર માટે તંત્રને સહકાર આપવો તેમજ રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્રની મદદ લેવી.
▪️ મોબાઇલ ફોન ચાર્જ કરી રાખવો તેમજ અગત્યના ટેલીફોન નંબર હાથવગા રાખવા.
▪️ સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં, ટોર્ચ અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
▪️ ભારે વરસાદ અને તીવ્ર પવનની પરિસ્થિતિમાં બહાર નિકળવાનું ટાળો.
▪️ જર્જરીત મકાન, ઝાડ, વીજળીના થાંભલા તેમજ દરિયા નજીક ઊભા રહેવું નહીં.
▪️ વાવાઝોડા દરમ્યાન વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવાં.
▪️ ક્લોરીનયુક્ત અથવા ઉકાળેલા પીવાના પાણીનો ઉપયોગ કરવો.
▪️ મદદ માટે કન્ટ્રોલ રૂમ નંબર 1077 પર સંપર્ક કરશો.
*ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.*

