
મિતાણા તા ૧૬ હાલ બીપરજોઈ વાતાવરણના સંદર્ભ પ્રભુનગર મીતાણા ગામની યુવા ટીમ છેલ્લા બે દિવસથી ઉમદા કામગીરી કરી રહી છે જેનાભાગ રૂપે હાલ કાચા મકાન મા રહેતા માણસોને કોમ્યુનિટી હોલ તથા શોપિંગમાં આશ્રય લઈ રહેલ આશરે ૧૫૦ થી વધુ વ્યક્તિઓને ભોજન બનાવી ને ટ્રેક્ટર મારફત ભોજન લઈજઈ જમાડી રહાછે તેમજ ફૂડ પેકેટ ની પણ વ્યવસ્થા કરેલ તે બદલ તેમનો સ્થાનિક આગેવાનો દ્વારા આભાર વ્યકત કરાયો હતો અનેમાં ભગવતી આપ બધાની ઉપર કૃપાદ્રષ્ટિ રાખે તેવી મા શ્રી ભગવતી ના ચરણોમાં પ્રાર્થના જેવા સુરો ઉઠયા હતા (અહેવાલ અને તસ્વીર ભરત ગજેરા મિતાણા)



