
*પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયામોરબી જિલ્લાના પ્રવાસે*
આજરોજ તારીખ ૨૪/૦૬/૨૦૨૩ ના રોજ જળસંપતિ,પાણી પુરવઠો, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા મોરબી જિલ્લાના પ્રવાસે છે.
બપોરે ૦૨:૦૦ કલાકે મંત્રીશ્રી મોરબી ખાતે ધર્મસિદ્ધિ સોસાયટી, નવી કલેકટર કચેરી પાછળ સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. ૦૩:૦૦ કલાકે મંત્રીશ્રી વવાણીયા ખાતે સ્થાનિક આગેવાનો/કાર્યકરો સાથે મુલાકાત કરશે તેમજ ખારાપાટ વિસ્તારના ગામોની મુલાકાત કરશે.
સાંજે ૦૫:૩૦ કલાકે મંત્રીશ્રી વાંકાનેર તાલુકાના ભેરડા ગામે પ્રાથમિક શાળામાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
