
મોરબી તારીખ ૪ તાજેતરમાં જ કાશ્મીર ફરવા ગયેલ મોરબી થી માલધારી સમાજના ત્રણ અગ્રણીઓ રમેશભાઈ રબારી, કરશનભાઈ ભરવાડ, અને ધારાભાઈ રબારી પોતાના પ્રવાસ દરમિયાન નું વર્ણન કરતા જણાવ્યું હતું કે અમો શ્રીનગર ખાતે આવેલ હોટેલ લતીફ અને ગેસ્ટ હાઉસ માં ઉતર્યા હતા જ્યાં હોટેલના માલિક લતીફ ચાચા તરીકે ઓળખાય છે
ત્યારે તેમના પ્રવાસ દરમિયાન અનુભવોનું વર્ણન કરતા રમેશભાઈ એ જણાવ્યું હતું કે કાશ્મીર ફરવા જઈએ તો અચૂકથી શ્રીનગર ખાતે આવેલ હોટેલ લતીફ અને ગેસ્ટ હાઉસમાં અચૂક ઉતરજો અને લતીફ ચાચા ની મહેમાનગતિ ની મોજ માણજો જે આપના માટે યાદગાર બની જશે વિશેષમાં જણાવ્યું હતું કે લતીફ ચાચા એટલા બધા માયાળુ અને લાગણીશીલ સ્વભાવના છે કે આપણને ત્યાં રોકાવાથી કોઈ સગા વાલા ને ત્યાં ગયા હોય અને જે રીતે આપણી મહેમાનગતિ કરે તે રીતે મહેમાનગતિ કરાવે છે હોટલમાં સરસ મજાનું શુદ્ધ ગુજરાતી ભોજન સ્વચ્છ અને સ્વાદિષ્ટ પીરસાય છે કે જેમનો સ્વાદ તમો આંગળા ચાટતા રહેશો તેમજ તેમનો વિવેકી, વિનય વારો, સ્ટાફ અમારા રોકાણ દરમિયાન ખૂબ જ લાગણીથી ઘરની જેમ જ અમને સાચવ્યા હતા. તો મારી ખાસ આપણા ગુજરાતી ભાઈઓને અપીલ છે કે કાશ્મીર ફરવા જવાનું થાય તો હોટેલ લ અને ગેસ્ટ હાઉસમાં જરૂર રોકાજો અને લતીફ ચાચાની મહેમાનગતિ માણજો

