• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૪ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા*

*‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૪ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા*
 *૧૨ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું*
 *અભિયાનના પાંચ દિવસમાં ૧૨ હજારથી વધુ શીલાફલકમની સ્થાપના અને વસુધાવંદનમાં ૯ લાખથી વધુ રોપાઓનું વાવેતર થયું*
 *પંચપ્રણની પ્રતિજ્ઞા લઈને 9.5 લાખથી વધુ લોકોએ સેલ્ફી અપલોડ કરી*
 *રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને મળ્યો વ્યાપક પ્રતિસાદ*
******
આઝાદીના અમૃત મહોત્સવના સમાપનના ભાગરૂપે તેમજ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા 9 ઓગસ્ટના રોજ શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મારી માટી મારો દેશ’માં આજ દિન સુધી ૧૪,૭૩,૭૪૨ થી વધુ રાષ્ટ્રભક્તો સહભાગી બન્યા હતા તેમજ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાંચ દિવસમાં ૯.૫ લાખથી વધુ લોકોએ પંચપ્રણની પ્રતિજ્ઞા લઈને પોતાની સેલ્ફી અપલોડ કરી છે.

આ અભિયાન અંતર્ગત પાંચ થીમ આધારીત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે પાંચમા દિવસે રાજ્યના ૬૭૪ ગામોમાં મહાનુભાવો/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત ૯૦,૪૩૪ નાગરિકો સહભાગી થયા હતા.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા વીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવા તથા દેશવાસીઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય તે માટે આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો હતો. જેને આજે ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૨,૬૫૩ ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ૧૩ ઓગષ્ટ સુધીમાં ૧૨,૦૭૫ શીલાફલકમની સ્થાપના કરાઈ છે. જ્યારે વસુધાવંદનમાં ૯,૪૨,૧૯૪ રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનાર ૩૦,૪૧૪ શહિદ વીરો અથવા તેમના પરીવારોનું સન્માન કરાયું છે.

આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૧૩થી તા.૧૫ ઑગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને ઘર પર તિરંગો ફરકાવવા આહવાન કર્યુ છે, જેને રાજયભરમાં વ્યાપક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યના નાગરિકો પોતાના ઘર પર તિરંગો લગાવીને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરી રહ્યા છે.

Related posts

*જામનગર તાલુકાના મોરારીદાસ ના ખંભાળિયા ગામે કીટ વિતરણ કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ભાવેશભાઈ પ્રવિણભાઈ અઘારા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો*

editor

*HELLO MORBI: બંગાવડી તાલુકા શાળા ખાતે વ્યસમુક્તિ ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

editor

Leave a Comment