
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા તારીખ 25 8 2023 ને શુક્રવારના રોજ ભારત કોનો પ્રશ્ન મંચ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોરબી જિલ્લાની વિવિધ ૧૯ જેટલી શાળાએ ભાગ લીધો જેમાં ધોરણ – 6 થી 8 ના 1565 વિદ્યાર્થિઓ તથા ધોરણ – 9 થી 12 ના 791 વિદ્યાર્થિઓ મળી કુલ -2356 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલ અને તમામ પરીક્ષાર્થીઓને મોરબી શાખા દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવેલ.ભારતકો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાના ના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડ ની યાદી અંતર્ગત માહિતી આપેલ છે. આ પરીક્ષા આપેલ બાળકોમાંથી કક્ષા ૬ થી ૮ માં કિશોર વિભાગ અને કક્ષા ૯ થી ૧૨ માં તરુણ વિભાગ આ બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવશે તેમનો આંતરીક પ્રશ્નમંચ( મૌખિક સ્પર્ધા)
આગામી સમયમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના તમામ સભ્યોએ ખૂબ મહેનત ઉઠાવી હતી.
ભારત વિકાસ પરિષદ
મોરબી શાખા
સચિવ હિંમતભાઈ મારવાણિયા
કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી
અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા
*અહેવાલ અને તસ્વીર કિશોર વિડજા મોરબી*






