શ્રી રવેચી માતાજી પંચમ પાટોત્સવ ( હાલાણી પરિવાર) ધ્રાંગધ્રા.
ભાદરવા સુદ ૮ તા. ૨૩-૦૯-૨૩ને શનિવારના રોજ રઘુવંશી સમાજ હાલાણી પરિવારના શ્રી રવેચી માતાજી નૂતન મઢ પંચમ પાટોત્સવ નવચંડી યજ્ઞ, આરતી, મહાપ્રસાદ સાથે શ્રી સુરેશભાઈ ધીરજલાલ હાલાણી – લખતરના યજમાન પદે ધામધૂમથી ઉજવવામાં આવેલ. સ્વ. શ્રી હરજીવનભાઈ પ્રાગજીભાઈ હાલાણી – અમદાવાદવાળા તરફથી સ્વાદિષ્ટ મહાપ્રસાદ રાખવામાં આવેલ. હાલાણી પરિવાર સંબંધીઓ સ્નેહીજનો સૌ માતાજીના નવચંડી યજ્ઞના દર્શન અને મહાપ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી આ અવસરે પરિવારના મોભી શ્રી દીનેશભાઈ હરજીવનભાઈ – અમદાવાદ શ્રી ઘનશ્યામભાઈ હાલાણી – પાટડી શ્રી મહેન્દ્રભાઈ ચીમનલાલ હાલાણી – ધ્રાંગધ્રા શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર મંત્રીશ્રી જીતુભાઈ કોટક સમિતિ સભ્યો ખાસ ઉપસ્થિતિ રહેલા આ પારિવારિક ધાર્મિક ઉત્સવ અવસરે પરિવાર દ્વારા શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી નું સન્માન કરવામાં આવેલ. સમગ્ર આયોજન શ્રી તુષારભાઈ મનસુખભાઈ હાલાણી સુરેન્દ્રનગર શ્રી અમીતભાઈ હાલાણી શ્રી મુન્નાભાઈ હાલાણી ધ્રાંગધ્રા વાળા દ્વારા કરવામાં આવેલ સૌ હાજર ભક્તજનોએ જય શ્રી રવેચી માતાજીના જય ઘોષ સાથે સમગ્ર આયોજનને વધાવેલ.