
*ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
મોરબી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. રાજ્યપાલશ્રીએ મહર્ષિ દયાનંદજીનો જ્યાં જન્મ થયો તે ઓરડાની મુલાકાત લઈ નમન કર્યા હતા. સમગ્ર પરિસર તથા દયાનંદજી સ્મારકની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, ડી.એ.વી.કોલેજના પ્રબંધક પૂનમ સુરી, શ્રી અજય સહેગલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


