*સલાયાના મુસ્લિમ ભાઈઓને આજરોજ રમઝાનના મોટા 27 માં રોઝા દિવસની શુભેક્ષા આપતા સલાયાના અગ્રણીઓ*
દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં આજરોજ પવિત્ર રમઝાન માસના 27માં રોઝાંનાં દિવસે સલાયાના મુસ્લિમ ધર્મગુરૂ અભૂડાડા તેમજ સલાયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સાલુભાઈ ભગાડને સલાયાના અગ્રણી લાલજીભાઈ ભૂવા,અરવિંદભાઈ ભટ્ટ,તથા ખંભાળિયાના પ્રખ્યાત ઓર્થોપેડીક ડો. કેશવ આહીર દ્વારા રમઝાનની શુભેક્ષા પાઠવી હતી. અત્રે ઉલેખનિય છે કે સલાયાના લાલજીભાઈ તેમજ તેમના સાથી સભ્યો દર વર્ષે રમઝાનના આં મોટા રોઝાના દિવસે મુસ્લિમ સમાજના લોકોને શુભકામના આપવા જઈ છે. આમ સલાયા માં હિન્દુ મુસ્લિમ એકતાનું આં ઉતમ ઉદાહરણ છે.

