
ડીસા રૂરલ મામલતદાર વિપુલભાઈ બારોટે જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા
તાજેતરમાં જ પોરબંદરથી ડીસા રૂરલ મામલતદાર તરીકે બદલી થયેલ વિપુલભાઈ બારોટે ચાર્જ સંભાળ્યા બાદ તરત જ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવી મહાઆરતીનો લાભ લીધો હતો.
આ શુભ અવસરે જય જલારામ ટ્રસ્ટ તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા વતી તેમનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જલારામ ભકતો સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,યશવંતશાસ્ત્રીજી મહારાજ,તારાચંદભાઈમજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર,કાંતિભાઈ માળી,પ્રકાશભાઈ મજેઠીયા,મનુભાઈ પૂજારા,પ્રવિણભાઈ એન.ઠકકર,અરવિંદભાઈ અખાણી,શૈલેષભાઈ રાચ્છ,જીતુભાઈ અખાણી,એફ.ડી.ઠકકર,રમેશભાઈ આયા,ધર્મેશભાઈ ઠકકર,કીરીટભાઈ બારોટ,દીલીપભાઈ બારોટ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી મામલતદાર વિપુલભાઈ બારોટનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.મામલતદાર વિપુલભાઈ બારોટે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી કાયદાની મર્યાદામાં રહી પ્રજાહિતનાં કાર્યો સમયસર કરવા ખાત્રી આપી હતી.
