
ધ્રાંગધ્રા શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે આસો સુદ બીજ મહોત્સવ
શ્રી ભાણ સાહેબ ટ્રસ્ટ કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે આસો સુદ બીજ મહોત્સવ સ્વ. શ્રી ભાવનાબેન અતુલભાઈ દક્ષિણી પરિવાર યજમાન પદે ભક્તજનોની હાજરીમાં ધામધૂમથી ઉજવવામાં આવેલ બીજ મહોત્સવ યજમાન પરિવાર મુરબ્બી શ્રી પ્રાણલાલ દક્ષિણીનું સમિતિ પ્રમુખ જીતુભાઈ કોટક તથા મંત્રી મિલન ગોવાણી દ્વારા દાદાની પ્રતિ ક્રુતિ તથા ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે અખંડ જ્યોત યજમાન શ્રી ઈશ્વરભાઈ પુજારાને ખેસથી પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ રાજવિરે સન્માન કરેલ સ્થાપિત દેવોના વાઘા યજમાન સ્વ. શ્રી પ્રજ્ઞાબેન શાંતિલાલ પુજારા પરિવાર ઢાકીવાળા પરિવાર રહેલ હવે પછીના સંવત ૨૦૮૧ બાર માસ મહાપ્રસાદ યજમાન પરિવારની યાદી જીતુ કોટક તરફથી જાહેર કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ હાજર ભક્તજનોનું શાબ્દિક સ્વાગત શ્રી પ્રકાશભાઈ રાજવિરે કરેલ સમગ્ર આયોજન સમિતિના શ્રી મહેશભાઈ પુજારા શ્રી અતુલ દક્ષિણી શ્રી પ્રવીણભાઈ પુજારા શ્રી જીગાભાઈ પુજારા ફોટાવાળા શ્રી ભરતભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ.


