
*સલાયા લોહાણા મહાજન સંચાલિત નવરાત્રી મહોત્સવમાં ખંભાળિયાનાં ડી.વાય.એસ.પી. પ્રજાપતિ સાહેબ દર્શન કરી નાની બાળાઓ દ્વારા લેવાતા ગરબા નિહાળ્યા*
સલાયા લોહાણા મહાજનની પ્રાચીન ગરબી જે 69 વર્ષથી ઉજવાઈ છે.આં ગરબીમાં ખંભાળિયા તાલુકાના ઝાબાઝ ડી.વાઈ.એસ.પી. શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબ પધાર્યા હતા. ગરબીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લીધા હતા.આં તકે સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી સિંગરખીયા સાહેબ અને પોલીસ સ્ટાફ પરિવાર પણ સાથે હતો. સલાયા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ,લોહાણા નવરાત્રી સમિતિના પ્રમુખ સુરેશ બારાઈ તથા ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવાએ પધારેલ અધિકારીઓનું સન્માન કરી માતાજીના આશીર્વાદરૂપ ઉપરણા ઓઢડ્યા હતા.
