
બાલંભા તા ૨૮ (*લલીત નિમાવત દ્વારા*)આજરોજ જામનગર જિલ્લાના શાંતિનગર, બાલંભા ખાતે શ્રી ચામુંડા માતા મંદિરની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો.
આ પ્રસંગે સંતશ્રી સતીષબાપુ, ગિરનારી સાધુ વીરદાસ મહારાજ તથા મહંત નવનાથજીના વરદહસ્તે આ વિસ્તારના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને રાશન અને કપડાંની કીટ વિતરણ કરવામાં આવી હતી.
સાથે જ 120 જેટલાં વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કીટ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને અંતે વિસ્તારનાં તમામ લોકો માટે જાહેર ભંડારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

