
અધ્યયન મંડળ મોરબી દ્વારા કાર્યશાળા
રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનાર થાય છે. આ વખતે ૩૨ મી કાર્યશાળા (સેમિનાર) દિનાઙક ૨૦/૦૨/૨૦૨૫ ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા વિજયભાઈ રાવલ ,વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા નમ્ર વિનંતી છે
અધ્યયન મંડળ મોરબી
સંયોજક
ડો જયેશભાઈ પનારા
સહસંયોજકો
વિજયભાઈ રાવલ
કમલેશભાઈ અંબાસણા
