
ડીસા રઘુવંશી પારકર લોહાણા સમાજના અગ્રણી જીવરામભાઈ ભીમજીભાઈ ઠક્કરનું થયેલ દુખદ અવસાન
ડીસા રઘુવંશી પારકર લોહાણા સમાજના અગ્રણી,જાણીતા ગાયત્રી ઉપાસક, ખૂબ જ સારા વાચક તેમજ રચનાત્મક વિચારસરણી ધરાવતા જીવરામભાઈ ભીમજીભાઈ ઠક્કર/પોપટનું 79 વર્ષની વયે દુઃખદ અવસાન થતાં સમગ્ર લોહાણા સમાજમાં આઘાતની લાગણી પ્રસરી હતી.
સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં સમાજજનો,નગરજનો,પરિચિતો જોડાયા હતા.ધૂળિયાકોટ શાંતિધામ સ્મશાનભૂમિ ખાતે સદગતને ગાયત્રી મંત્રોચ્ચાર સાથે વૈદિક વિધિ મુજબ અગ્નિદાહ આપ્યા બાદ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.
પ્રાર્થનાસભામાં સર્વ લીલાધરભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,શાંતિભાઈ વકીલ, રાયચંદભાઈ કે. ઠક્કર – રાધનપુર, હેમંતભાઈ તન્ના-પાટણ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય સહિત સૌએ સદગત જીવરામભાઈના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.હનુમાનચાલીસા,ગાયત્રી મંત્રનું ગાન,ઓમકારનાદ તેમજ મૌન પાળી સદગતના આત્માની ચિરશાંતિ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.
પરિવારના સર્વ સુખદેવભાઈ હરજીવનભાઈ પોપટ તેમજ મહેશભાઈ જીવરામભાઈ પોપટ સહિત સૌએ દુખની આ ઘડીએ સહકાર આપનાર તેમજ સ્મશાન યાત્રામાં ઉપસ્થિત રહેનાર સૌકોઈ પ્રત્યે ઋણસ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.
