
આમરણ ગામે હજરત દાવાલશાહ પીર નો 532 મો તારીખ 10/05/25 શનિવાર ના વાર્ષિક ઉર્ષ ઉજવવાશે.
આમરણ મુકામે હજરત દાવાલશાહ પીર નો 532 મો ઉર્ષ ઉજવવાશે. આમરણ મુકામે હિન્દુ મુસ્લિમોની આસ્થાના પ્રતિક હજરત દાવાલશાહ પીર વલીનો 532 મો ઉર્ષ મુબારક તારીખ 10/05/2025 ના શનિવાર ના રોજ ધામધૂમથી ઉજવાશે. આ ઉર્ષ માં લાખો ની સંખ્યામા જન મેદની ઉમટી પડશે. તા. 10/05/25 ના રોજ શનિવાર ના રોજ રાત્રે 10 વાગ્યે દરગાહ શરીફ ના દ્વાર સંદલ ક્રિયા માટે બંધ કરવામાં આવશે. ત્યાર બાદ 12 વાગ્યે દરવાજા આમ જનતા માટે ખુલા મુકવામાં આવશે. ત્યાર બાદ ચાદર સૈયદ જાકીર હુશેન ના હાથે તથા રાજકીય આગેવાનો હસુભાઈ ગાંભવા, નિમેષભાઈ ગાંભવા, રાજેશ ત્રિભોવન, બિપિન કચરાભાઈ પટેલ, વસંત આંબા, શાંતિલાલ (દાદુ જાકાસણીયા ), દલિત સમાજ ના આગેવાન મોહનભાઈ પરમાર, વકીલ દિપકભાઈ પરમાર તેમની હાજરીમા ચાદર ચડાવવામાં આવશે. તેમજ આમ ન્યાજ જસદણવાળા અને જામનગરના એરંડીયા પરિવાર તરફથી ચાલુ રહેશે. તેમજ દાવલશાહ પીર ની દરગાહ નો ગામ કે બહારગામ કોઈ જાત નો ફંડફાળો કરવામાં આવતું નથી. તેમ દાવલશાહ પીર દરગાહ ટ્રસ્ટ તરફથી જણાવાયું છે.તેમ આમરણ ના પત્રકાર સૈયદ બુખારી સબીરમીયા બાવામીયાની અખબારી યાદી મા જણાવાયું છે.
સબીરમીયા બી બુખારી
પત્રકાર દિવ્ય ભાસ્કર, સંદેશ
ગુજરાત સમાચાર, મુ.આમરણ
તા. જી.- મોરબી
મો – 98799 95152 /
મો – 63554 39944
