• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં ૩૦ મે ના રોજ સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ તેમજ યોગ શિબિર યોજાશે*

મોરબીમાં ૧૧ મા ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી અંતર્ગત નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશ તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ- મોરબી દ્વારા સતવારા સમાજની વાડી વજેપર, મોરબી ખાતે વિનામૂલ્યે તારીખ ૩૦/૦૫/૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ યોગ શિબિર તથા સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં યોગ નિદર્શન, આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો, સ્નાયુનો દુ:ખાવો, ખરજવુ, ધાધર, ખીલ, કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ઉપરાંત ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે યોગ શિબિરમાં યોગાસન માટે આસન સાથે લઈ આવવા અને આ કેમ્પનો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

ગુજરાત સરકારની વધુ એક સિદ્ધિ મુખ્યમંત્રીશ્રીના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા ૧૧ માસમાં બે લાખથી વધુ નાગરિકો સાથે સીધો સંવાદઃ ફીડબેક મેકેનિઝમનું ઉત્તમ મોડેલ પૂરું પાડ્યું

Hello Morbi

*મોરબીના મેમણ મોટલાણી પરિવારના બાળ રોજે દાર પવિત્ર રમજાન માસમાં રોજા રાખી કરી ખુદાની બંદગી*

Hello Morbi

*HELLO MORBI:સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું સમસ્ત બ્રહ્મસમાજ તથા પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું*

editor

Leave a Comment