
બાલંભા:તા૧૦ બાલંભા શાંતિનગર ખાતે દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ની ભાવપૂર્ણ ઉજવણી દાઢીયારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ ખાતે મહંત શ્રી ભોલે મુની બાપુના સાનિધ્યમાં આસ્થા પૂર્વક કરવામાં આવેલ હતી જેમાં સવારથી જ સેવક સમુદાય નો પ્રવાહ શરૂ થયો હતો સવારે ભોલે મુની બાપુના ભક્તજનો દ્વારા મહંત શ્રી ભોલે મુની બાપુ ની પૂજન વિધિ તેમજ બપોરના મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તજનો તેમ જ સેવક ગણ ઉમટી પડ્યા હતા ભક્તજનો દ્વારા મહંત શ્રી ભોલે મુની બાપુને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ તેમજ બપોરના મોટી સંખ્યામાં ભક્તજનો એ ભોજન પ્રસાદનો લાભ લીધેલ હતો.
(રિપોર્ટર લલીતભાઈ નિમાવત બાલંભા)


