*મોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા.*
*જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા નું અભિવાદન કરાયુ.*
શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરીદેવીજી ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરાયું છે ત્યારે ગુજરાત રાજ્ય નાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ આજ રોજ કથા શ્રવણ નો લાભ લીધો હતો તેમજ મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા મા.શ્રી બ્રિજેશભાઈ મેરજા નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.


