
*નવરાત્રી દરમ્યાન સલાયામાં સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત*
ખંભાળિયાના સલાયામાં આગામી નવરાત્રીના તહેવારોને અનુલક્ષીને સફાઈ કામગીરી વ્યવસ્થિત થાય અને આ તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવાય તે હેતુથી સલાયાના શહેર ભાજપ પ્રમુખ અને લોહાણા નવરાત્રી સમિતીનાં ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સલાયાના વિવિધ વિસ્તાર જેવા કે મેઈન બજાર, રામ મંદિર શેરી, હવેલી શેરી, મહાજન વાડી શેરી, પોસ્ટ ઓફિસ શેરી, વણકર વાસ, લાલજી મંદિર શેરી, પોલીસ સ્ટેશન પાસે, બાલવી માતાજીના મંદિર વારી શેરી, વાછરાડાડા મંદિર , હરસિધ્ધિ માતાજી મંદિર સહિત વિગેરે સ્થળોએ દરરોજ સફાઈ કરી, જરૂરી દવાના છંટકાવ કરવા, બંધ રહેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા તેમજ ભૂગર્ભ ગટરની સફાઈ કરવા રજુઆત કરવામાં આવી છે. આ તમામ સ્થળે મોટી સંખ્યામાં બહેનો-દીકરીઓ અને પુરુષો અવર જવર કરતા હોય, આ સહિતના મુદ્દે સંબંધિત તંત્રને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરાઈ છે.
