
ધ્રોલ:તા૧ *લલિત નિમાવત દ્વારા* જામનગર જિલ્લાના ધ્રોલમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ વાઘેલાને આવેદનપત્ર પાઠવી ત્રિકોણ બાગ પાસે ધ્રોલ ઠાકોર સાહેબના નામે પ્રવેશ દ્વાર બનાવવાની માંગણી કરી હતી. આ મુદ્દે ભાજપ શાસિત નગરપાલિકામાં ક્ષત્રિય સમાજના ભાજપના જ નેતાઓ અને સમાજના આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા ત્રિકોણ બાગ થી નગરપાલિકા સુધી રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નગરપાલિકાના જનરલ બોર્ડમાં ગેટ બનાવવા માટે પહેલેથી જ મંજૂરી મળી ગઈ હોવા છતાં હજી સુધી ટેન્ડર પ્રક્રિયા શરૂ ન થતા સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે. નગરપાલિકા પ્રમુખ વિજય ટપુભાઈ વાઘેલાએ સ્વભંડોળના અભાવે ટેન્ડર પ્રક્રિયા અટકી હોવાનો દાવો કર્યો છે.
ક્ષત્રિય સમાજની માંગણીઓ અવગણાઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે હવે ધ્રોલની રાજનીતિમાં ગરમાવો ચરમસીમાએ છે.


