કોરોના ની માહામારી સામે સમગ્ર વિશ્વ અત્યારે ઝજૂમી રહ્યુ છે ત્યારે મોરબી શહેર તેમજ જીલ્લા મા પણ કોરોના નુ સંક્રમણ વકરી રહ્યુ છે, દીન પ્રતિ દીન કોરોના ના કેસ મા વધારો થઈ રહ્યો છે. કોરોના થી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરવો આવશ્યક છે ત્યારે મોરબી જલારામ સેવા મંડળ ના અગ્રણી તેમજ મોરબી નગરપાલીકા ના વોર્ડ નં-૭ ના કાઉન્સીલર તથા ચેરમેન ભાવિન ગીરીશભાઈ ઘેલાણી દ્વારા શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર તથા વસંત પ્લોટ મેઈન રોડ પર ભાટીયા સ્ટોર્સ (વ્યવસ્થાપક:શશીભાઈ ભાટીયા), જલારામ પાર્ક નવલખી રોડ( વ્યવસ્થાપક:અનિલભાઈ સોમૈયા), અરૂણોદય નગર ઉમા ટાઉન શીપ પાસે સામાકાંઠે (વ્યવસ્થાપક:નયના બેન મીરાણી) ખાતે સવારે ૭ થી ૯ વિવિધ ઔષધીઓ માંથી બનાવેલ ઉકાળા નુ નિ:શુલ્ક વિતરણ શરૂ કરવા મા આવ્યુ છે. વિતરણ દરરોજ સવારે ૭ થી ૯ દરમિયાન કરવા મા આવી રહ્યુ છે. સોશિયલ ડીસ્ટન્સિંગ નુ પાલન કરવુ અનિવાર્ય રાખવા મા આવેલ છે તેમજ જે લોકો માસ્ક પહેરીને આવેલ હોય તેને જ વિતરણ કરવા મા આવી રહ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી