ટંકારા : દયાનંદ સરસ્વતીના કારણે જાણીતું બનેલું ટંકારા અવારનવાર અનેક જગ્યાએ ચમકતું રહે છે. આજે ટંકારા કોન બનેગા કરોડોપતિમાં ચમકયું હતું. આજે અમિતાબ બચ્ચને સામે હોટ સીટમાં બેઠેલા બાળકને સ્વામી દયાનંદ સરસ્વતી વિશે પ્રશ્ન પૂછ્યો હતો.
ઉલ્લેખનિય છે કે ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. તેઓએ ત્યાં આર્યસમાજની સ્થાપના કરી હતી. બાદમાં ભારતભરમાં આર્યસમાજ સ્થાપ્યા હતા. ક્રાંતિકારી વિચારો ધરાવતા સ્વામી દયાનંદ સરસ્વતીનાં કારણે સમગ્ર મોરબી જિલ્લાને સતત ગૌરવ મળતું રહે છે. આજે KBCમાં પણ સ્વામી દયાનંદ સરસ્વતીને લગતા પ્રશ્નમાં ટંકારા ચમકયું હતું.
KBCમાં પુછાયેલો પ્રશ્ન
गुजरात के टंकारा में मूल शंकर के रूप में जन्म लेने वाले किस हस्ती ने आर्य समाज की स्थापना की और वैदिक विचारधारा को पुनर्जीवित करने का कार्य किया ?
