
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે*
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માન માં એક દિવસ નો શોક પાળવાની જાહેરાત કરી છે*
*સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છે*
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે*
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળ ની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકી ને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે*
