ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ જયારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબ ના નેતૃત્વમાં ગુજરાત ભર ખાટલા બેઠક ચાલી રહી છે ત્યારે જામનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ મૂંગરા ની સૂચના થી ધ્રોલ ખાતે મોટા વાગુદળ સીટ ના શક્તિ કેન્દ્ર ના પ્રમુખ અને પૂર્વ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા મોટા વાગુદળ હરિપર નાના વાગુદળ તેમજ ધરમપુર ખાતે ખાટલા બેઠક નું આયોજન કરવા માં આવેલ હતું આ બેઠક દરમ્યાન દરેક ગામો માં ખેડૂતો ખુબજ મોટી સન્ખીય મા ઉપસ્થિત રહિયા હતા અને ખેડૂતો દ્વારા સરકાર શ્રી દ્વારા તાજેતરમાં ખેડૂતો ના હિત માટે જે કૃષિ વિધાયક બિલ પસાર કરવા માં આવેલ છે તેને વધાવી લેવા માં આવેલ અને આજ દિવસ સુધી દેશ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જે ખેડૂતો ના હિત માટે જે કામો કરવા માં આવ્યા છે તેની પણ ખૂબ પ્રસંસા કરવા માં આવેલ અને રામ મંદિર ના નિર્માણ અર્થ ગ્રામ જનો ને ફૂલ નહીં તો ફલ ની પાંખડી નું યોગદાન આપવા જણાવ્યું હતું અને ગ્રામ જનો ના નાના મોટા પ્રશ્નો ને વાંચા આપવા માં આવેલ હતી આ કાર્યક્રમ મા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પુર્વ જિલ્લા પંચાયત ના સદસ્ય ગણેશભાઈ મૂંગરા ધ્રોલ તાલુકાના ચૂંટણી ઇન્ચાર્જ દેવાંણદભાઈ જિલરીયા ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલ મૂંગરા મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા લતિપર પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ ભગત તુસારભાઈ ભાલોડીયા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહિયા હતા