*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા જોડિયા તાલુકામાં ઓનલાઇન રમકડા મેળો યોજાયો*
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા વર્ષ 2020-21 માટેના જોડિયા તાલુકા કક્ષાના રમકડા મેળાનું ઓનલાઇન આયોજન તા. 27 જાન્યુ. ના કરવામાં આવેલ. જેમાં જોડિયા તાલુકા માંથી 18 શિક્ષકોએ અલગ-અલગ પાંચ વિભાગ અને કેટેગરી વાઇઝ જુદા-જુદા વિષયો ને ધ્યાનમાં રાખી સ્વનિર્મિત રમકડાની રજૂઆત માઈક્રોસોફ્ટ ટીમ્સ ના માધ્યમથી કરવામાં આવી હતી. આ રમકડાં મેળામાં તાલુકાના અન્ય શિક્ષકો પણ જોડાયા હતા. ડાયટ લેક્ચરર એસ.એમ.રેહિલ સાહેબના માર્ગદર્શન અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને આ રમકડાં મેળો યોજાયો. જેમાં તાલુકાના રમકડા ના જાણકાર શિક્ષકોએ મૂલ્યાંકનકાર તરીકે ભૂમિકા ભજવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવેલ તથા ઓનલાઇન રમકડા માં ભાગ લીધેલ તમામ શિક્ષકોને પ્રોત્સાહન તથા જિલ્લા કક્ષાએ જવા પસંદ થયેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી……
શરદ એમ.રાવલ..હડિયાણા..
8160670219
