સમાજના શ્રેષ્ઠી નામાંકિત નેતા ઉપરાંત નગરજનો સહિતના લોકોએ શુભેચ્છા પાઠવી
ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહજી જાડેજા (ધ્રુવદાદા) ની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે. દાદાના ઉપનામથી જાણીતા ધ્રુવકુમારસિંહજી જાડેજા અગાઉ પણ રાજકીય ક્ષેત્રે રહી લોક સેવા કરી છે નાના માણસો કે અન્યાય સામે જ્યારે ડેલી સુધી રાવ આવે ત્યારે લોકોના પોતિકા બની કામ કરનાર ધ્રુવકુમારસિંહજીની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે વરણી થતા નામાંકિત હસ્તીઓ સમાજ અગ્રણી નગરજનો સહિત રાજકીય આગેવાનો અને આલા અધિકારી દ્વારા શુભેચ્છાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
