*મોરબીના રવાપર રોડ પરના નરસંગ ઉપનગરમાં સમાવિષ્ટ ઉમિયાનગર વસ્તી માં આવેલ ગાયત્રીનગર-2 માં રહેતાં બાળ કાર્યકર્તાઓ શિવ રાજપરા તથા વ્યોમ કુંડારીયા, એ સામાજિક હેતુ માટે નિધિ એકત્રિત કરેલ હતી. ત્યારબાદ કોરોનાનો સમય આવતા તે નિધિનો ઉપયોગ થઈ શકેલ નહીં. આથી આ બાળ કાર્યકર્તાઓ એ આ નિધિ તથા પોતાની બચતપેટી માંથી
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ હેતુ માટે સમર્પણ કરવાની ઈચ્છા, ગાયત્રીનગરમાં રહેતા રેવન્યુ વકીલ મંડળ, મોરબી ના પ્રમુખ સંજયભાઈ રાજપરા, ને વ્યક્ત કરતા તેમણે પોતાની નિધિ તથા તેમની ઓફિસમાં રાખેલ દાનપેટીની નિધિ તથા હરગોવિંદભાઈ કુંડારીયા, એ તેમાં પોતાની નિધિ ઉમેરી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ હેતુ નિમિત્તે રૂ।. ૫,૫૫૫/- નિધિ સમર્પણ કરી હતી. આ અવસરે તેઓએ એવી ભાવના વ્યક્ત કરી હતી કે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર એવું ભવ્ય બને કે સમગ્ર વિશ્વના હિંદુઓની આસ્થાનું કેન્દ્ર સ્થાન બની રહે. આ અવસરે
લલિતભાઈ ભાલોડીયા
વિપુલભાઈ અઘારા
મહેશભાઈ બોપલીયા
ડૉ. નિલેશભાઈ ભાડજા
ઉપસ્થિત રહી બાળ કાર્યકર્તા ના કાર્યને બિરદાવ્યુ હતું.
