


સંત શિરોમણી પૂ.જલારામ બાપા ની ૧૪૦ મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત ભજન સંધ્યા, મહાઆરતી, મહા પ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજવા મા આવ્યા હતા. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમ મા સર્વજ્ઞાતિય જલારામ ભક્તો એ પૂ.બાપા ની આરાધના કરી, પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
