
જોડિયા ગામે રહેતા ખેડૂત ખાતેદાર શ્રી મગનભાઈ ભવાનભાઈ કાનાણી ની ઉગમણી દિશામાં 42 વીઘા ખેતી ની જમીન સર્વે નંબર 117 પેકી ની જમીનમાં ચાલુ વર્ષે જીરા નું વાવેતર કરવામાં આવ્યું હતું.. અને આ વાવેતર પાછળ આશરે 2 થી 3 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. અને જીરા ના વાવેતર થી આશરે ઊપજ માં દશ લાખ રૂપિયા ની આવક નો આશરો હતો. પણ છેલ્લા એક અઠવાડિયા થી કુદરતી આફત ધૂમમ્સ સતત આવતા જીરા ના ઉભા પાક ને બાળી ને સાવ ખતમ કરી નાખ્યો છે. તો આમાં બિચારા ખેડૂતો ઉપર અવારનવાર મોટી આફત આવ્યા કરે છે. હાલમાં ખેડૂતો પાયમાલ થઈ ગયો છે. જો સરકાર તરફથી ખેતી ઉપર થોડી ઘણી પણ નજરમાં રાખી ને પેકેજ ની જાહેરાત કરવામાં આવે તેવી આશા છે…..
શરદ એમ.રાવલ..હડિયાણા…

