મોરબી : મોરબી વિસ્તારમાં વિકરાળ બનતા કોરોનાની સામે સ્ટેમિના જાળવી રાખવા માટે હાઉસીંગ બોર્ડ સ્થિત વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ તેમજ જનજાગૃતિ અભિયાનના સ્થાપક રજનીકાંત પડસુમ્બીયા તેમજ ડો. નીરવ શાહ દ્વારા આયુર્વેદ દવા નિ:શુલ્ક આપવામાં આવશે. જેમાં ગિલોય ઘનવટી, સંશમની વટી અને આયુષનો સમાવેશ થાય છે. આ કીટ વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી ચેતના કેન્દ્ર ગુ.હાઉ. બોર્ડ, સનાળા રોડ, બ્લોક નં. એમ /૧૧૫૮/૫૯ ઉપર ઉપલબ્ધ છે. જે તા. ૧૨/૪/૨૦૨૧ના રોજથી સવારના ૯ થી ૧૧.૩૦ વાગ્યે અને સાંજે ૪ થી ૬ વાગ્યે ફ્રીમાં ૭ દિવસનો કોર્સ જેટલી દવા વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ આ દવા આયુર્વેદિક મેડિકલ સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ હશે. સરકારના નિયમોનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી સહકાર આપવા વિનંતી કરેલ હતી.
આ સેવા જનજાગૃતિ અભિયાન (રાજકોટ/મોરબી) રજનીભાઇ પટેલ (ભાવપરવાળા), ડો. નીરવ શાહ (રાજકોટ) તેમજ વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ-મોરબી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રજનીકાંત પડસુમ્બીયા ૯૮૯૮૮ ૯૪૯૪૧, મણીભાઈ ગડારા ૯૪૨૮૨ ૭૭૩૯૧ અને વી.ડી. પડસુમ્બીયા ૯૯૭૯૨ ૮૫૮૭૩નો સંપર્ક કરી શકાશે.
