મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આથી, મોરબીમાં રાત્રિ દરમિયાન પાલિકા દ્વારા રોડને સેનેટાઈઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં કોરોના વાયરસના લીધે પરિસ્થિતિ વકરી રહી છે. ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સૂચન મુજબ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર તથા ઉપપ્રમુખ જયરાજભાઈ જાડેજાની દેખરેખ હેઠળ ગઇકાલે રાત્રીના સમય દરમિયાન શહેરના મુખ્ય રોડ પર રાત્રિના સેનેટાઈઝર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા આઈ.ટી. સેલ ઇન્ચાર્જ ચંપકસિંહ રાણા હાજર રહ્યા હતા.
