
આજ રોજ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસર ના સહયોગ થી જામનગર જીલ્લા ના જોડિયા તાલુકા ના જસાપર ગામ માં કોરોના રેપીડ ટેસ્ટ. કરવા માટેનો કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પ ટોટલ 190 લોકો ના ટેસ્ટ કરવામાં આવેલ. જેમાંથી બે વ્યક્તિ કોરોના પોજેટિવ આવેલ. જે ને દવા આપેલ તેમજ સામાન્ય તાવ શરદી ઉધરસ વગેરે 80 જેટલા દર્દી ને દવા આપેલ. જેમાં ડો તરુણ ભાઈ વસનાણી તથા ડો નીતિનભાઈ કાંજીયા ની ટીમે સેવા આપેલ.
આ આયોજન માટે ગઈ કાલે જી એમ કન્યા વિદ્યાલય ધ્રોલ ખાતે મિટિંગ નું આયોજન કરેલ જેમાં ઉમિયા માતાજી મંદિર ના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાણીપા તથા પાટીદાર સમાજ ના આગેવાન શૈલેષભાઇ વાસનાણી મોરબી વગેરે સમાજ ના આગેવાન દ્વારા ધ્રોલ જોડિયા તાલુકાના બધા ગામમાં ઉમિયા માતાજી મંદિર દ્વારા નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કરેલ .જે કાર્યક્રમ ઉમિયા પરિવાર ના સભ્ય હિતેશ ચનીયારા, હિતેસ કસુંદરા. રમેશ ગોધાણી. અંકિત જીવાણી.સંદીપ કાનાણી.ગીરધરબાપા પનારા. વગેરે કાર્યકર્તા ને જવાબદારી સોંપેલ….
શરદ એમ.રાવલ..હડિયાણા.
