• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના મુનિ દયાલને*

શુક્રવારે ટંકારા ખાતે વિશેષ સમારોહમાં સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કરાશે

ટંકારા : ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના મુનિ દયાલને પ્રાપ્ત થતા શુક્રવારે ટંકારા ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

 

સંસ્કૃત સાહિત્ય અકાદમી અંતર્ગત વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ કરનાર ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલ મુનિ)ને પસંદ કરાયા છે. જે અંતર્ગત દયાલ મુનિના ગૌરવ સન્માન સમારંભનું આયોજન તા.૦૯ જુલાઇ, ૨૦૨૧ને શુક્રવારે ટંકારા મુકામે સવારે ૧૧ વાગ્યે યોજાયું છે. જેમાં રાજભવન, ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉદબોધન કરશે અને ટંકારા મુકામે યોજાનાર કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા દયાલ મુનિનું સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને એક લાખ રૂપિયાની રાશિ અર્પિત કરી સન્માનિત કરશે.                                    આ ઉપરાંત રાજભવન તરફથી પણ બૅ લાખ રૂપિયાની ધન રાશિ અર્પણ કરશે

Related posts

*મોરબીના વાઘપર ની સાત વર્ષની ઢીંગલીએ રામ મંદિરમાં બચત ગલાની રકમ આપી*

Hello Morbi

*બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બેસ્ટ પર્ફોમેન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો*

Hello Morbi

*HELLO MORBI:ઓફિસ અને ઘર ની સજાવટ માટે:આધુનિક અને આકર્ષિત પીવીસી નુ ફર્નિચર બનાવવા માટે “કેયા પીવિસી ફર્નિચર” (સૂરેશ ગજ્જર નો સંપર્ક કરો)*

editor

Leave a Comment