
*મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો રૂબરૂ આભાર માનતા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય- ગુજરાત ક્ષેત્રના અગ્રણીઓ*
—————–
ગુજરાતમાં લવ જેહાદ કાયદાને માન્યતા તેમજ તેના કડક અમલ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત કરીને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી શ્રી મિલિન્દજી પરાંડે, ગુજરાત VHPના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, ગુજરાત ક્ષેત્ર મંત્રી શ્રી અશોકભાઈ રાવલ અને ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ વતી અભિનંદન પાઠવીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. 
—————–
