



જોડિયા તાલુકાના દુધઈ ગામે તેમજ માવનુગામ ગઈ કાલ તારીખ 24 7 21 થી તારીખ 25 7 21 દરમિયાન આ બંને ગામે ભારેથી અતિભારે 13 ઈંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જતાં આશરે ત્રીસેક મકાનો ના રહીશોની ઘરવખરી માલસામાન પલળી જવા પામેલ છે આ બાબતે તારીખ 25 7 21ના રોજ સવારે 10:00 કલાકે તાલુકા વિકાસ અધિકારીશ્રી મનીષ સોરઠીયા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે .એચ .સોરઠીયા વિસ્તરણ અધિકારી પંચાયત ગઢિયભાઈ તલાટી કમ મંત્રીશ્રી અને બંને ગામના સરપંચ સાથે રાખી સ્થળ મુલાકાત કરવામાં આવી આ બાબતે સર્વે હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડીયા ની યાદીમાં જણાવાયુ છે તેમજ માવના ગામે ગામે હાઇવે નજીક આવેલ ગામનો મુખ્ય પ્રવેશ ની બાજુમાં ગામ ના મુખ્ય રસ્તા નું નાળુ જે તૂટી જતા પાણી આવક વધી જતા પાણી ગામમાં ઘુસી જતા મકાનોમાં પાણી જવા પામેલ નથી પરંતુ આ લોકો દ્વારા નાલું દુરસ્ત કરવા સ્થાનિક એ સરપંચ શ્રી દ્વારા રજુઆત કરવામાં આવતા જે સંદર્ભે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ને આ બાબતે ઘટતું કરવા જણાવવામાં આવેલ છે…






શરદ એમ.રાવલ.. હડિયાણા…
