
હાલમાં રાજકીય ક્ષેત્રે જાણી જોઈને વારંવાર તળપદા કોળી સમાજ પ્રત્યે અમુક ભાજપના નેતા દ્વારા જે કિન્નાખોરી રાખવામાં આવે છે. જે બાબતે આજે તળપદા કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો એકઠા થઈને જો આ બાબતમાં યોગ્ય નિર્ણય નહિ કરવામાં આવે તો સમાજના ભાજપ ના હોદ્દેદારો પોતાના હોદ્દા ઉપરથી સમાજના હિત માટે પોતાનું રાજીનામું આપવાની તૈયારી દર્શાવેલ છે. આ બાબતે આગામી દિવસોમાં તળપદા કોળી સમાજ ના ગુજરાત ના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે ચર્ચાઓ કરીને વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના આગેવાનોની એક ચિંતન બેઠક આવનાર દિવશો માં બોલાવવામાં આવશે તેવો આજ રોજ તાત્કાલિક મળેલ બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ.
