શરદ એમ.રાવલ.. હડિયાણા…

રાજ્ય સરકારના પાંચ વર્ષની વિકાસ યાત્રા અંતર્ગત તા. ૧/૮/૨૦૨૧ થી તા. ૯/૮/૨૦૨૧ સુધી જ્ઞાન શક્તિ દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે ગામ-સચાણા, તા.જિ.જામનગર ની બંને શાળાઓ શ્રી સચાણા કુમાર શાળા અને શ્રી સચાણા કન્યા શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૧/૮/૨૦૨૧ ને રવિવારના રોજ યોજવામાં આવ્યો. તેમાં શ્રી સૂર્યકાંતભાઈ મઢવી (ડાડા), ડૉ. વસોયા સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ગામના આગેવાનો, SMC ના સભ્યો તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. શ્રી સૂર્યકાંતભાઈ મઢવી (ડાડા) તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ક્લાસરૂમ નું લોકાર્પણ કરવામાં આવ્યું….




