

ડીસા ખાતે જ્યાં શિક્ષણની અતિ જરૂરિયાત છે તેવા નવા વિકસિત માર્કેટયાર્ડ રહેણાક વિસ્તારમાં ચાલતી રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વ મંગલમ વિધાલયની અગત્યની બેઠક સંસ્થાના પ્રમુખ કનુભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને મળી હતી.આ મીટીંગમાં વાલીઓ ઉપરાંત ટ્રસ્ટીઓ સર્વ ઈશ્ર્વરભાઈ રાવળ,ભગવાનભાઈ બંધુ,જયંતિભાઈ ઓઢાવાળા,દિનેશભાઈ રાવળ,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર,આચાર્ય વિનિતાબેન સુથાર તેમજ સ્ટાફના સર્વ વિપુલભાઈ દેસાઈ,ભાવિષાબેન સમોચા,હેતલબેન નાઈ સહિત સૌ કોઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કોરોનાને લીધે વિધાર્થીઓ,વાલીઓ તેમજ શાળાને પડેલ તકલીફોની ચર્ચા કરી આગામી દિવસોમાં શાળાને આર્થિક તેમજ શૈક્ષણિક રીતે વધારે મજબૂત બનાવવા અને શાળા આજુબાજુના તમામ વિસ્તારમાં વધારે બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી.આ અવસરે કેટલાક દાતાઓએ દાન પણ આપ્યું હતું.વંચિત સેવા ટ્રસ્ટની મીટીંગ કરી તાત્ત્કાલિક નવીન છાત્રાલય બનાવવાનો પણ નિર્ણય કરાયો હતો.વાલીઓએ પણ ખૂબ જ રચનાત્મક સૂચનો કરી શાળાના વિકાસ માટે સહયોગની ખાત્રી આપી હતી..
