
ભારતના પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થામાં જઈને ત્યાં રહેતા તમામ લોકોને ભાર પેટ ભોજન કરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે
