
કાંકરેજ-બનાસકાંઠાના કર્મઠ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલાને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે લેવાતાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી છે.રઘુવંશી લોહાણા સમાજ તેમજ લોહાણા મહા પરિષદના અગ્રણીઓ સર્વ ભગવાનભાઈ બંધુ,વિનોદભાઈ ગોકલાણી,જીતેન્દ્રભાઈ સેજાણી,ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રદેશના ચેરમેન જનકભાઈ જે.ઠકકર,મયૂરભાઈ પૂજારા સહિત સૌએ મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને બુકે અર્પણ કરી મીઠાઈ ખવડાવી દબદબાભેર સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.આ અગાઉ બનાસકાંઠા જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અચરતભાઈ ઠકકર તેમજ ભાભર શહેર ભાજપ પ્રભારી નિરંજનભાઈ ઠકકરે પણ મંત્રી કીર્તીસિંહજી વાઘેલાનું સાલ અને ફૂલહારથી સન્માન કરી અભિનંદન આપ્યા હતા.
