
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરા ની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ નુ આયોજન કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા મોબાઈલ સેવા કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, ભોજન પ્રસાદ, મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય સેવા કેમ્પ તા.૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવા થી માતા ના મઢ ના રૂટ પર ફરતો રહેશે. પદયાત્રા મા જતા પદયાત્રિકો ને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે હીતેશભાઈ જાની- મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.
આ સેવા કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હીતેશભાઈ જાની, ભગવાનજીભાઈ પટેલ(ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ કંસારા, મનિષભાઈ પટેલ,અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડીત, પોલાભાઈ પટેલ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
