શરદ એમ.રાવલ.. હડિયાણા..
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રી વાવડી પ્રાથમિક શાળામાં હાલ ધોરણ 6 માં અભ્યાસ કરતી વિધાર્થીની અને શ્રી હડિયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણાની પુત્રી મકવાણા ક્રિશાબેન અરવિંદભાઈ હાલમાં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં પાસ કરી જામનગર જિલ્લાની આલિયાબાળા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 અભ્યાસ માટે પસંદગી થયેલ છે. ક્રિશાબેનને આ સિદ્ધિ મેળવવા બદલ શ્રી વાવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અરુણાબેન મેદંપરા તથા શાળા પરિવાર તેમજ વાવડી આહિર સમાજ દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ છે…..
