શરદ એમ.રાવલ.. હડિયાણા…
શ્રી કેશીયા તાલુકા શાળાની વિદ્યાર્થીની ભીલ નિરંજનાબેન રમેશભાઈ જેણે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ નિબંધ સ્પર્ધામાં જોડિયા તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં વાડોલીયા મહેકબેન રમણીકભાઈ જોડિયા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે..
આ બંને બાળાઓને કેશિયા ગામના સામાજિક કાર્યકરો દ્વારા ચાલતી જુદી જુદી સામાજિક પ્રવૃત્તિ અંતર્ગત રોકડ 500-500 રૂપિયા આપી સન્માનિત કરી શિક્ષણમાં તંદુરસ્ત સ્પર્ધા માટે બાળકોમાં ઉત્સાહ વધે તે માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. જે બદલ સૌ આગેવાનો શ્રી અરવિંદભાઈ, શ્રી નાગજીસહેબ, શ્રી નિલેશભાઈ, શ્રી માવજીભાઈ અને શ્રી દેવજીભાઈ અને સમસ્ત ગ્રામજનોનો શ્રી કેશિયા તાલુકા શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો…..
