


હવે થી ” યુરિયા બેગ માથી બોટલમાં ”
ભારત સરકારના ખાતર* મંત્રાલય દ્વારા તાજેતરમાં “યુરિયા નેનો ” બોટલ બહાર પાડવામાં આવી છે જે લીકવીડ ફોમ મા છે
અત્યાર સુધી દેશના ખેડૂતોને યુરિયા ખાતર બેગ મા આપવામાં આવતુ હતુ જે બદલી ને હવે લીકવીડ ફોમ મા નાની બોટલ મા મળશે જેના કારણે દેશના ખેડૂતો ને ખાતર લેવા માટે ડેપો મા ગાડું ટ્રેકટર કે અન્ય વાહન લઇને જવાની જરૂર નહીં રહે માત્ર નાની થેલીમાં “યુરિયા નેનો” ની બોટલ આવી જાય છે વળી પહેલાની જેમ ખાતર નો સ્ટોક કરવા માટે ગોડાઉન કે મોટી જગ્યા ની જરૂર રહેશે નહીં તદઉપરાંત ખેડૂતને આ “યુરિયા નેનો ” ખાતર મોલાત મા છટકાવ કરવા માટે ડ્રોન માટેની લાંબા ગાળાની લોન પણ કેન્દ્ર સરકાર આપવા કટિબદ્ધ છે ત્યારે આજે આ “યુરિયા નેનો ” ખાતર નો લાઈવ ડેમોસ્ટ્રેસન ,અને ડ્રોનથી લાઈવ છટકાવ કરવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે કેન્દ્રીય કેબિનેટ આરોગ્ય પરિવાર કલ્યાણ કેમિકલ ,ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
આ કાર્યક્રમ માં ગુજકોમાસોલ ના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો હાજર રહ્યા હતા અને સરકાર ની બદલાતી કિસાન નીતિ નો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો .


