શરદ એમ.રાવલ.. હડિયાણા..
આજ રોજ ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા નો જોડિયા તાલુકાના ભાદરા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ના દર્શન કરી ને યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમ મા જોડિયા તાલુકાના કુનડ ગામે સતવારા સમાજની નકુમ પરિવાર ની દીકરી કુ.હેમાલિબેન આર. નકુમ એ નેપાળ ખાતે રમતગમતમાં લોગ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવી ને ગોલ્ડ મેડલ મેળવેલ છે. ત્યારે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ના વરદ હસ્તે કુ.હેમાલિબેન ને ફુલહાર અને સાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ છે. અને કૃષિ મંત્રી એ વધુ ને વધુ આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા….
