
વિશ્ર્વ લોહાણા મહા પરિષદ દ્રારા દર વર્ષે અલગ અલગ કેટેગરીના વીસ જેટલા એવોર્ડ દ્રારા વિશિષ્ટ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે.આ એવોર્ડ માટે વિદેશોના લોહાણાઓની પણ પસંદગી થાય છે.
વ્યવસાયિક પ્રતિભા એવોર્ડ માટે ઉતર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ યોગદાન છે તેવા થરાના પ્રહલાદભાઈ એલ.આચાર્ય તેમજ પાટણના રમેશકુમાર કાશીરામ ઠકકરની પસંદગી થતાં સમગ્ર ઉતર ગુજરાતમાં આનંદની લાગણી ફેલાઈ છે.તારીખ 18-6-2022 શનિવારે નાશિક ખાતે સંસ્થાના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી તેમજ અન્ય મહેમાનોની પાવન ઉપસ્થિતિમાં બેઉ શિક્ષકોને વાજતેગાજતે શાનદાર સન્માન કરી એવોર્ડ અર્પણ કરાશે.
લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના ઝોનલ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,ઝોનલ મંત્રી લીલાધરભાઈ આચાર્ય, રીજીયન ચેરમેન ધનરાજભાઈ ઠકકર, મહાસુખભાઈ પૂજારા,જીતેન્દ્રભાઈ સેજાણી,રીજીયન મંત્રીઓ જનકભાઈ સી.ઠકકર, તરૂણભાઈ વી.ઠકકર સહિત સૌ કોઈએ ઉતર ગુજરાતમાં એવોર્ડ પસંદગી બદલ રાજીપો વ્યક્ત કરેલ છે.
